દર મહિને ₹1250 જમાં થશે મહિલાઓના ખાતામાં, ફક્ત અહી જ અરજી સ્વીકારવામાં આવશે-Ganga svarupa arthik sahay yojana 2024

Ganga svarupa arthik sahay yojana 2024: આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને રૂપિયા 1250 આપવામાં આવે છે. જો તમે મહિલા છો અથવા તો તમારા પરિવારમાં મહિલાઓને આ યોજનાનો લાભ અપવવા ઈચ્છો છો તો તમારે આ યોજના વિશે જરૂર જાણવું જોઈએ, ચાલો જોઈએ કે કોણ કોણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે તેમજ લાભ મેળવવા શું કરવું.

ગંગા સ્વરૂપા યોજના | Ganga svarupa arthik sahay yojana 2024

આ યોજના ખાસ મહિલાઓ માટે અમલમાં મુકવામાં આવી છે. જે મહિલાઓના હસબંડ અવસાન પામ્યા છે તે મહિલાને આ યોજના દ્વારા તેના બેંક ખાતામાં દર મહિને સીધા ₹1250 જમાં કરાવવામાં આવે છે તેમજ હાલ આ યોજનામાં થોડો સુધારો પણ કરવામાં આવ્યો હતો, આ સુધારા વિશે આગળ વાત કરીશું. પહેલા આ યોજના દ્વારા મળતા લાભ વિશે જાણકારી મેળવીએ.

કેવી રીતે લાભ મળે છે ?

ગુજરાતની વિધવા મહિલાઓ કે જેણે આ યોજનામાં અરજી કરી છે તે મહિલાઓના બેંક એકાઉન્ટમાં સીધા ₹1250 જમાં કરવામાં આવે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવું પડે છે.

આ નિયમોનું પાલન કરશો તો જ લાભ મળે છે

સૌ પ્રથમ તો આ યોજનાનો લાભ ફક્ત વિધવા મહિલાઓને જ મળે છે આ ઉપરાંત આ લાભાર્થી મહિલા ગુજરાતના વતની હોવા જોઈએ અને સૌથી જરૂરી વાત કે આ મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તેમજ જો આ વિધવા મહિલા પુનઃ લગ્ન કરે છે તો તેને આ યોજનાનો લાભ મળતો નથી આ ઉપરાંત મહિલા ગ્રામ્ય વિસ્તારના વતની હોય તો તેની વાર્ષિક આવક એક લાખ વીસ હાજર થી વધારે ના હોવી જોઈએ અને જો શહેરી વિસ્તારના રહેવાસી હોય તો તેની વાર્ષિક આવક એક લાખ પચાસ હાજરથી વધારે ના હોવી જોઈએ અને આ યોજનામાં અરજી કરવા માટેના તમામ દસ્તાવેજ મહિલા પાસે હાજર હોવા જોઈએ.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી

જો વિધવા આ યોજનામાં અરજી કરવા માગે છે તો તેની પાસે પોતાનું આધારકાર્ડ, પતિના મરણનો દાખલો તેમજ પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનો તલાટી નું પ્રમાણ પત્ર આ ઉપરાંત મહિલાએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનો રહેશે અને બેંક ખાતાના પાસબુકની નકલ પણ આપવાની થશે. ઉમર અંગેનો પુરાવો પણ રજૂ કરવો પડે છે.

આવી રીતે અરજી કરો

જે મહિલાને આ યોજના માટે અરજી કરવી છે અને તેઓ ગામડાના વતની છે તો તેઓએ ગામના વિસીઇ પાસે થી આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે ત્યાર બાદ આ ફોર્મ માં બધી વિગતો ભરવાની થશે અને બધા દસ્તાવેજ જોડવામાં રહેશે આ ઉપરાંત જે મહિલાઓ શહેરી વિસ્તારમાં રહે છે તેઓએ સંબધિત જન સેવા કેન્દ્ર કે તાલુકા કચેરી એ આ યોજનાનું ફોર્મ મેળવી લઈ અને આ ફોર્મ ભરી દીધા બાદ દસ્ટવેજ સાથે પરત જમાં કરવાનું રહેશે.

ખાસ નોંધ : હાલ માં આ યોજના માં સુધારો કરવામાં આવ્યો છે, સુધારામાં જણાવવામાં આવ્યું છે કે જે વિધવા મહિલાઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધારે છે તેઓએ જે તે સંબધિત કચેરીએ પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણ પત્ર દર વર્ષે રજુ કરવાનું નથી પરંતુ જે વિધવા મહિલાઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે તેઓ એ દર વર્ષે આ પ્રમાણ પત્ર રજૂ કરવું પડશે.

Leave a Comment